- બુદ્ધિથી વિચરેલું સ્વાર્થ ભરેલું હાય છે,જ્યારે હૃદયથી વિચરેલું તમારામાં સાત્વિકતા લાવે છે.
- બુદ્ધિ મનુષ્યની દુશ્મન છે,આત્માનો અવાજ તમને સદાચારનો માર્ગ બતાવે છે.
- સ્વાભિમાનથી જીવતો માણસ ક્યારેય પણ અસત્યનો આશ્રય નથી લેતો.
- અંતરની બારીઓ ખુલ્લી રાખશો તો દિવ્ય શક્તિઓ નો પ્રકાશ મળશે,
બુદ્ધિની બારીઓ ખુલ્લી રાખશો તો સ્વાર્થ ભરેલા પવનો ફૂકાશે. - બુદ્ધિ સ્વાર્થની જનેતા છે,જ્યારે હૃદય પરોપકારનું દ્વાર છે.
- માત્ર મહાન વિચારોથી માણસ મહાન નથી બનતો, પરંતુ ઉમદા વિચારો,આદર્શ જીવન અને મહાન કાર્યોથી માણસ મહાન બને છે.
- ઍક બે કે પાંચ પંદર લોકોના કહેવાથી ક્રાંતિ થતી નથી, ક્રાંતિના બિજ માણસના મગજમાં રોપાય છે. અને વ્યવસ્થાથી કંટાડેલા સેંકડો લોકોમાં આ બિજ અંકુરિત થાય છે ત્યારે આપો આપ ક્રાંતિ થાય છે.
સુવિચાર
Subscribe to:
Posts (Atom)