Monday, April 30, 2012

કેમ શૂન્યની જેમ ખાલી છે જીંદગી?


આમ જૂઓ તો કઈ નથી જીંદગી,
તેમ જૂઓ તો બધું જ છે જીંદગી.
છતા કેમ શૂન્યની જેમ ખાલી છે જીંદગી?
હવામાં હાથ વિંજો તો અનુભવાય જીંદગી,
છતા નજરોથી ન નીરખાય આ જીંદગી.
દુ:ખોમાં લાંબી મુસાફરી છે જીંદગી,
ને સુખોમાં પલકારે વહી જાય છે જીંદગી.
નોખે બીબે નોખો છે રાગ જીંદગી,
કેટલાકને બોજ  તો કેટલાકને મોજ  છે જીંદગી..
ઍમ.બારીયા
તા.૩૦/૪/૨૦૧૨

માતૃત્વ

નવજાત જાત શિશુઓને ત્યજવાની ઘટનાઓ છાસવારે  બનિરહિ છે ત્યારે......



માતૃત્વ ઈશ્વરનાં દિવ્ય આશીર્વાદ છે,જેને પણ તે સહજતાથી પ્રાપ્ત થાય છે તેને તેનું મૂલ્ય નથી સમજતુ. પરંતુ આ આશીર્વાદ મેળવવા જેને વલખાં મારવાં પડે છે તેજ આ માતૃત્વના મૂલ્યને સારી રીતે જાણી શકે છે.
 ઍમ.બારીયા
૩૦/૪/૨૦૧૨