Sunday, September 4, 2011

મહોબ્બતની વાત



મહોબ્બતની શી વાત કરવી દોસ્તો ! !
દાજ્યા ને ગાજ્યાં ની વ્યથા છે ન્યારી,
દિલ દાજ્યા તો મુષીબત છે દોસ્તો,
દિલ ગાજ્યાં તો ઈબાદત છે દોસ્તો.


કોઈ પુછી બેશે મીરને...
મહોબ્બતમાં મીર તમે  ક્યાં સુધી ગયા?
ખ્યાલ નથી તમને?મીર મટી ફકીર થયા!
મહોબ્બતની શી વાત કરવી દોસ્તો ! !
દાજ્યા તો વ્યથા છે ન્યારી દોસ્તો,
ગાજ્યાં તો કથા  છે ન્યારી દોસ્તો.
                              -ઍમ.બારિયા
                              તા.૪/૯/૨૦૧૧

Thursday, September 1, 2011

ચાર પુરુષાર્થ


ચાર ચોગઠાં તણી ચોકડી રચાય,
જીવનમાં  પુરુષાર્થ   જે  કહેવાય.

સવાર થતાં  જાગે ચોગઠું  પહેલું,
કરજોડી કરે બંદગી,સ્તુતી દેવ તણી,
ધર્મ તણું ચોગઠું,ઉત્તમ તે કહેવાય.

બપોર થતાં  જાગે ચોગઠું  બીજું,
ખંતથી ખેતી કરે,ધગશથી ધંધો,
અર્થ તણું ચોગઠું,ઉત્તમ તે કહેવાય.

સાંજ થતાં  જાગે ચોગઠું  ત્રીજું,
કામાશક્ત કરે ક્રીડા,સાથી શયન, 
કામ તણું ચોગઠું,ઉત્તમ તે કહેવાય.

ત્રણે ચોગઠ વિવેક નવ ચુકવો,
શ્રદ્ધા સાચી ઉર ધરી ધર્મને ધારવો,
નિતિ નવ ચૂકી સાચી અર્થને કામવો,
સંયમ ને વફાથી કામને માણવો.

જો પ્રાપ્ત થશે સિદ્ધિ ચોગઠ ત્રણ,
તો ચતુર્થ ચોગઠું દોડતું આવશે,
અને લક્ષ યોનિના ફેરાઓ ટળશે,
મોક્ષ તણું ચોગઠું,સર્વોત્તમ કહેવાય.

                   -ઍમ.બારિયા
           ૧/૯/૨૦૧૧ ગણેશચતુર્થિ

    માનવી પોતાના જીવનમાં ત્રણ પુરુષાર્થને જો યોગ્ય રીતે
ઉતારે તો ચોથા પુરુષાર્થ મોક્ષનીપ્રાપ્તિ  આપો આપ જ થઈ જાય.